સંખેડા તાલુકાના ચમરવાડા ગામે તલાટીને માર મારવા અને જાહેરમાં માફી મંગાવનાર 4 આરોપીને કોર્ટે એક-એક વર્ષની સજા અને 13500 રૂપિયા દંડ કર્યો હતો. સંખેડા તાલુકાના ચમરવાડામાં તા. ૩ એપ્રિલ 2021ના રોજ તલાટી ડામોર દીગંતકુમાર છગનભાઈ ફરજ ઉપર હાજર હતા. એ દરમિયાન તેને જયેન્દ્રસિંહ સોલંકી, અદેસિંહ સોલંકી, નીલેશસિંહ સોલંકી, અજયસિંહ સોલંકી, વિજયસિંહ ઉર્ફ ચકુ સોલંકી અને ગણપતસિંહ સોલંકીએ તલાટીને જણાવ્યું હતું.