કચ્છના પ્રસિદ્ધ યક્ષ મેળા દરમિયાન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રિય સંચાર બ્યૂરો, ભુજ દ્વારા સાયરા ગામ ખાતે મલ્ટિમિડીયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાના વરદહસ્તે આજે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન 07 થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ચાલશે.