ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામના કરખડી ફળિયા નજીક કોઝવેની હાલત બિસ્માર થતા રિપેરિંગ કરવા માંગ.તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામના કરખડી ફળિયાના આગેવાન પાસેથી શુક્રવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ વરસાદને લઈ કોઝવે ની હાલત ખરાબ થતા વાહનચાલકો અને રાહદારીઓની સમસ્યામાં વધારો થયો છે.જે રિપેરિંગ કરવા માંગ ઉઠી છે.ત્યારે તંત્ર વહેલી તકે રિપેરિંગ કરાવે એ જરૂરી બન્યું છે.