સુંઢીયા ગામે છેલ્લા કેટલાક સમયથી ખેડુતોના ખેતરોમાં માલધારીઓની ગાયો ચરી જતી હોય ભેલાણની ફરિયાદ ઉઠી હતી જેને લઈને આજે ખેડુતો ધરણા પર બેસી ગયા હતા. વડનગર PI એચ.એલ જોશીએ ન્યાયની ખાતરી આપતા ખેડુતો સંમત થયા હતા અને પોતાના ધરણા સમેટી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે વધું કાર્યવાહી હાથ ધરી છે.