શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે આજરોજ બહુમાળી ભવન ચોક ખાતે ‘વોટ ચોર,ગાદી છોડ'ના સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસ અગ્રણી રાજદીપસિંહ જાડેજાએ બપોરે 12:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ આ મુદ્દે કોંગ્રેસ દ્વારા સમગ્ર ભારતમાં કાર્યક્રમો કરવામાં આવશે.