જમાલપુર વિસ્તારમાં કચરાની ગાડીએ 7 ઓગસ્ટના અકસ્માત સર્જ્યો હતો. જેમાં કચરાની ગાડી ચાલક રાહુલ પરમારે બેફામ ગાડી હંકારી અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં ઝડપાયેલા ડ્રાઇવરે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જે અરજી ગુરુવારે 4 વાગ્યાની આસપાસ સિટી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.