બીલીમોરા ખાતે સોમનાથ મંદિર પાછળના મેદાનમાં યોજાયેલા મેળામાં રાઇડનું મેન્ટેનન્સ ન થવાને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક યુવાનનું મોત થયું હતું જ્યારે ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં FSL સહિત બીલીમોરા પોલીસ અલગ અલગ રીતે તપાસ કરી હતી, જેમાં મેળાની પરવાનગી મેળવનાર તેમજ ભાગીદારોની બેદરકારી સામે આવી છે.