વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે લાંબા સમયથી ગામના ખરાબામાં ખેડૂતને મળેલ સાથણીની જમીન મામલે વિવાદ ચાલતો હોય, જેમાં ગ્રામજનો દ્વારા અહીં શાળા બનાવવા માટે જગ્યાની માંગ કરવામાં આવતી હોય, જેની સામે ખેડૂત દ્વારા પોતે આ જમીનની ખરીદી કરી ખેતી કરતાં હોય, ત્યારે આ મામલે ભડકેલા ગ્રામજનો દ્વારા ખેડૂતના 12 વીઘા જેટલા કપાસના પાકને તાણી અને નષ્ટ કરી નાંખતા આ મામલે ખેડૂત દ્વારા 10 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે….