નેપાળમાં રાજકીય કટોકટી વચ્ચે અમદાવાદના વસ્ત્રાલની આકૃતિ સોસાયટીના ત્રણ પરિવારોના કુલ 9 સભ્ય ફસાયા. આ તમામ લોકો 1 સપ્ટેમ્બરે પ્રવાસે નીકળ્યા હતા અને 12 સપ્ટેમ્બરે પરત ફરવાના હતા, જોકે એ પહેલાં જ નેપાળમાં વણસેલી પરિસ્થિતિને કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા છે. આ 9 સહિત કુલ 37 લોકો પ્રયોશા ટૂરના માધ્યમથી નેપાળ ફરવા ગયા હતા.