ચકલાસી ગામ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન પરિવહન વિભાગ દ્વારા રણુજા જતી નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા નો પ્રારંભ મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહીડાના હસ્તે કરવામાં આવ્યો હતો. નવા રૂટ પર શરૂ થતી આ બસ સેવા થી સ્થાનિક મુસાફરો તેમજ રણુજા ધામે જતાં શ્રદ્ધાળુઓને ખુબ જ સહુલિયત મળશે. ખાસ કરીને ચકલાસી તથા આસપાસના ગામોના લોકોને આ નવી બસ સેવા દ્વારા સીધી અને સુગમ સુવિધા પ્રાપ્ત થશે.