આંકલાવ ખાતે પ્રાંત અધિકારી બોરસદના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો ૨૩ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીના પ્રશ્નોનો તાલુકા કક્ષાએ જ ઉકેલ આવે તે માટે દર મહિને જે તે તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી વર્ગ ૧ ના અધિકારીઓ ઉપસ્થિત રહે છે.