મેજર ધ્યાનચંદ જયંતિ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરમાં સાયકલોથોન યોજાઈ. ગુલીસ્તાથી શરૂ થયેલી આ રેલીમાં મેયર ભરતભાઈ બારડ, કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ અને કમિશનર એન.કે. મીણાએ સ્વયં સાયકલ ચલાવી નગરજનોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો.આ સાયકલ રેલી શહેરના 9 કિ.મી. માર્ગ પર યોજાઈ હતી જેમાં અંદાજે 1000થી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.