અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે વહેતી અમરાવતી નદીમાં ચાર યુવકો નાહવા માટે ઉતર્યા હતા આ દરમ્યાન અચાનક જ એક કિશોર ડૂબવા લાગ્યો હતો.અન્ય યુવાનોએ બહાર નીકળી બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર પાલિકાનો ફાયર વિભાગ તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને સુમિતની શોધખોળ શરૂ કરી હતી.લાપતા થયેલા કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો.