શ્રાવણ માસના અંતિમ દિવસે રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. આ વિશે મંદિરના પૂજારીશ્રીએ સવારે 11:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજે વહેલી સવારથી જ પિતૃમોક્ષાર્થે પીપળે પાણી રેડવા ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી.હજારો ભાવિક શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શનનો લાભ લઇ, પીપળે પાણી રેડી ધન્યતા અનુભવી હતી.