સુરેન્દ્રનગર શહેરમાં શુક્રવારે રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જોરાવરનગર રતનપર વઢવાણ સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા વાતારવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે વરસાદ શરૂ થતા જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. વરસાદ થી ખેતીમાં ફાયદો થાય તેવી ખેડૂતોને આશા છે.