ભાવનગરમાં "સરિતા કા રાજા" ગણેશ મહોત્સવની ધામધૂમથી શરૂઆત – યુવરાજશ્રી જયવીરાજસિંહજી ગોહિલે પ્રથમ આરતી ઉતારી, પરંપરા મુજબ, ભાવનગરના યશસ્વી યુવરાજ સાહેબ નેકનામદાર શ્રી જયવીરાજસિંહજી ગોહિલના હસ્તે આજે વિઘ્નહર્તા બાપાના પ્રથમ આરતીના શુભ કાર્ય દ્વારા મહોત્સવની શરૂઆત કરવામાં આવી. યુવરાજશ્રીએ ભક્તિભાવપૂર્વક આરતી ઉતારી અને તમામ ભક્તો માટે શુભેચ્છાઓ પાઠવી. સ્થળ પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને સમગ્ર પરિસર "ગણપતિ બાપ્પા મોરયા!"ના નાદથી ગૂંજી ઉઠ્યો.