Download Now Banner

This browser does not support the video element.

ઉધના: સુરતમાં યુવકની ઘાતકી હત્યા: જેલમાંથી છૂટેલા આરોપીએ ગાંજાના ધંધામાં થયેલી અદાવતમાં મિત્રને ચપ્પુ મારી મોતને ઘાટ ઉતાર્યો

Udhna, Surat | Sep 5, 2025
સુરતના પાંડેસરામાં બે દિવસ પહેલાં જ જેલમાંથી છૂટેલા એક આરોપીએ અંગત અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરી છે. આ ઘટનામાં મૃતક યુવકને ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે પાંડેસરા પોલીસે 7 લોકો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.મૃતક સંદીપ ઉર્ફે તિસરી રાકેશસિંહ રાજપૂતની હત્યા તેના મિત્ર અવધેશ સહાની દ્વારા કરવામાં આવી હતી, જે બે દિવસ પહેલાં જ જેલમાંથી છૂટ્યો હતો.આ હત્યા પાછળ ગાંજાના ધંધામાં થયેલી અદાવત હોવાની શંકા વ્યક્ત કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us