Download Now Banner

This browser does not support the video element.

સાંતલપુર: દૈગામડામાં ત્રણ દિવસથી રોડ ઉપર પાણી ભરાતા રોજીંદી ચીજવસ્તુઓ ટ્રેક્ટરમાં લાવવા લોકો મજબૂર બન્યા

Santalpur, Patan | Sep 10, 2025
દૈગામડા ગામને પરસુંદ અને સાણસરા ગામો સાથે જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નેશનલ હાઈવે-27 સાથે જોડતો મુખ્ય માર્ગ પણ લગભગ 3 કિલોમીટર સુધી પાણીમાં ડૂબી ગયો છે. આ કારણે ગ્રામજનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.સ્થાનિક રહીશોને આરોગ્ય સેવાઓ અને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. વરસાદી પાણીના ભરાવાથી ખેતરોમાં ઊભા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે.આ નુકસાનીથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us