દૈગામડા ગામને પરસુંદ અને સાણસરા ગામો સાથે જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નેશનલ હાઈવે-27 સાથે જોડતો મુખ્ય માર્ગ પણ લગભગ 3 કિલોમીટર સુધી પાણીમાં ડૂબી ગયો છે. આ કારણે ગ્રામજનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.સ્થાનિક રહીશોને આરોગ્ય સેવાઓ અને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. વરસાદી પાણીના ભરાવાથી ખેતરોમાં ઊભા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે.આ નુકસાનીથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે.