સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા કરી છે. આ હત્યા પાછળનું કારણ પુત્રને તેના પિતાના અન્ય મહિલા સાથેના સંબંધો હોવાની શંકા હતી.આ ઘટના સુરતના પાલી ગામમાં બની હતી. 40 વર્ષીય મૃતક ચેતન રાઠોડ બાગકામમાં નોકરી કરતા હતા, જ્યારે તેમનો 17 વર્ષનો સગીર પુત્ર ફિલ્ટર પાણીના બાટલા ડિલિવરી કરવાનું કામ કરતો હતો.