આણંદ જિલ્લાની હદ વિસ્તારમાં આવતી તમામ સરકારી કચેરીઓ ખાતે આવતી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના ઈરાદાઓ ધરાવતી વ્યક્તિઓએ તમામ સરકારી કચેરીઓના મુખ્ય ગેટની આસપાસના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઉભા રહેવા પર તેમજ પ્રવેશ કરવા પર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા મનાઈ હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.