Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા સૌરાષ્ટ્રના 47 શ્રદ્ધાળુઓ સોનપ્રયાગ રવાના, રાજકોટના એડિશનલ કલેક્ટર સતત સંપર્કમાં

Rajkot East, Rajkot | Sep 3, 2025
રાજકોટ: કેદારનાથના દર્શને ગયેલા રાજકોટ, મોરબી અને જામનગર સહિત સૌરાષ્ટ્રના 47 જેટલા શ્રદ્ધાળુઓ ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાને કારણે ફસાયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જોકે, હવે રસ્તો ખૂલતા તમામ યાત્રાળુઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. મળતી માહિતી મુજબ, મંગળવાર રાત્રિના સમયે કેદારનાથમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે કેટલાક રસ્તાઓ પર ભેખડો ધસી પડી હતી. આ કારણોસર 47 જેટલા શ્રદ્ધાળુઓ હોટલમાં રોકાઈ ગયા હતા અને આગળ વધી શક્યા નહોતા.
Read More News
T & CPrivacy PolicyContact Us