સુરેન્દ્રનગર થી હીરાસર એરપોર્ટ રાજકોટ સુધી એસ.ટી.ની ઓલવો બસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે સુરેન્દ્રનગર એસ.ટી. ડેપો ખાતે વઢવાણના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશભાઇ મકવાણા અને જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ એ લીલી ઝંડી આપી કરાવ્યો શુભારંભ. એસ.ટી.ની AC ટુ બાય ટુ બસ સુરેન્દ્રનગર થી રોજ ચાર ટ્રીપ દોડશે જે મુળી ચોટીલા હીરાસર એરપોર્ટ રાજકોટ સુધી જશે. હવે હીરાસર એરપોર્ટ સુરેન્દ્રનગર થી જતા મુસાફરો ને સીધી બસની સુવિધા મળશે.