જુનાગઢ તાલુકાના વધાવી ગામમાં વ્રજ વલ્લભબાવાશ્રીના સાનિધ્યમાં પુષ્ટિ સત્સંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત વધાવી ગામના વૈષ્ણવો બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. બહેનો દ્વારા રાસ રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે વ્રજ વલ્લભબાવાશ્રીએ વચનામૃત સમજાવ્યું હતું જેનો વૈષ્ણવોએ રસપાન કર્યું હતું. આ ઉપરાંત વ્રજ વલ્લભબાવાશ્રી એ વધાવી ગામની ગોશાલાની મુલાકાત પણ લીધી હતી.