*ધંધુકા રેલવે સ્ટેશનમાં ટિકિટ બારીની સમસ્યા, મુસાફરો પરેશાન* ધંધુકા રેલ્વે સ્ટેશન પર ટિકિટ બારીની સતત સમસ્યાથી મુસાફરો ભારે પરેશાન છે. લોકો વારંવાર તંત્રને રજૂઆત કરે છે, છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. અમદાવાદ અને બોટાદ તરફના ટ્રેન એક જ સમયે આવતા બીજી ટિકિટબારી ઉપલબ્ધ ન હોવાના કારણે અનેક મુસાફરો મુસાફરીથી વંચિત રહી રહી જાય છેં. તહેવારના સમયે આ સ્થિતિ વધુ ગંભીર બની જાય છે અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.