માનવતાના મસીહા પેગંબરે ઇસ્લામ હઝરત મહમ્મદ( સ. અ. વ )ના 1500માં જન્મોત્સવ ઈદે મિલાદની શુક્રવારે દેશભરમાં શાનદાર ઉજવણી થઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં પણ પરંપરાગત રીતે વાલીએ સોરઠ દરગાહ થી ઈદે મિલાદનું જુલૂસ નિકળ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા.