સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે સદ્દભાવના ગ્રૂપ દ્વારા ૨૭ ઓગસ્ટે રાત્રે ૮ વાગ્યે મહારાજા ગણેશજીનું આગમન થવાનું છે. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર અદ્ભુત લાઈટ અને સાઉન્ડ શો સાથે આ કાર્યક્રમ યોજાશે. લીલીયા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આજે સાંજે સોશિયલ મીડિયા મારફતે સાવરકુંડલા લીલીયા પોતાના મતવિસ્તારની જનતાને પધારવા અનુરોધ કર્યો છે.