ભરૂચ એસ.પી.અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા ફોનમાં જો બેંક લોન કે KYC અપડેટનો ઉલ્લેખ કરવામાં આવે તો એ કોલ તરત જ બંધ કરી દેવા જોઈએ અને સત્તાવાર હેલ્પલાઈન દ્વારા જ માહિતી ચકાસવી જોઈએ.કોઈ અજાણી લીંક પર પણ ક્લિક ન કરવા તેઓએ લોકોને અપીલ કરી હતી.