વિમાની રકમ રૂપિયા બે લાખ તેઓના ખાતામાં જમા થતાં જ પરિવારને આર્થિક સહારો મળ્યો. શ્રીમતી મંદાબેનને બે સંતાન છે – પુત્રી (ઉંમર૧૧, ધોરણ ૫ માં અભ્યાસ કરે છે) અને પુત્ર (ઉંમર ૧૪, ધોરણ ૯ માં અભ્યાસ કરે છે). દાવાની રકમથી બાળકોના અભ્યાસમાં ખલેલ ન પડે તે સુનિશ્ચિત થયું અને ઘરનું દૈનિક જીવન પણ પાટા પર આવ્યું.