Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: શહેરમાં બ્રાહ્મણપંચની વાડી ખાતે સામવેદી શ્રાવણીનો ધાર્મિક મહોત્સવ યોજાયો, સામવેદી બ્રાહ્મણો દ્વારા નુતન જનોઈ ધારણ કરાઈ

Godhra, Panch Mahals | Aug 26, 2025
ગોધરાના બ્રાહ્મણ પંચની વાડી ખાતે સામવેદી શ્રાવણીનો મહોત્સવ ઉજવાયો. ભાદરવા સુદ બીજે સામવેદી બ્રાહ્મણો માટે વિશેષ મહત્વ ધરાવતા શ્રાવણી ઉપાકર્મ અંતર્ગત યજ્ઞોપવિત ધારણ, ઋષિતર્પણ, ગાયત્રી જપ તથા વેદાધ્યયનનો સંકલ્પ લેવાયો. વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂઆત થયા બાદ મોટી સંખ્યામાં સામવેદી બ્રાહ્મણોએ એકસાથે જનોઈ બદલી. સામગાનના મંત્રોચ્ચારથી ધાર્મિક વાતાવરણ ગુંજી ઉઠ્યું. ઉપસ્થિતોને વિધિનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us