*ધંધુકામાં અનોખી માનવસેવા શરૂ : નારાયણ સેવા સમિતિ દ્વારા અંતિમવિધિ નિઃશુલ્ક સેવા શરૂ*. ધંધુકામાં સંત પુનીત મહારાજના સૂત્ર “સેવા અને સમરણ, બે જગમાં કરવાના છે કામ” ને જીવનમાં ઉતારતા ધંધુકા શહેરમાં પહેલીવાર ઇતિહાસ રચાયો છે. શ્રી નારાયણ સેવા સમિતિ દ્વારા ન ભૂતો ન ભવિષ્યતિ એવી અનોખી સેવા કાર્યની શરૂઆત કરવામાં આવી છે. આ સેવા અંતર્ગત કોઈપણ વ્યક્તિના અવસાન બાદ તેની અંતિમવિધિ માટે જરૂરી સામગ્રી — ઘી, ચંદન લાકડાં, જવ, તલ, ખાંડ, નાળીયેર, અબીલ, ગુલાલ, કંક.