ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલ અયોધ્યા સિદ્ધનાથ સોસાયટીમાં શ્રી બાપા સીતારામ યુવક મંડળ આયોજિત અંબાજી પગપાળા સંઘનું સતત 32 માં વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ તા. 30/08/2025, શનિવારે સવારે 9 વાગે કલિકુંડથી અંબાજી જવા પદયાત્રીઓ રવાના થયા હતા. 6 દિવસે તેઓ અંબાજી ખાતે પહોંચશે.