કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ રોગચાળાના અટકાવ માટે તાલુકા પંચાયતો અને આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.અંજાર તાલુકાના નાગલપર, સુગારીયા બોરસદ, બલોટ, દુધઈ, લોહારીયા તથા વીડી સહિતની ગ્રામ પંચાયતો તથા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળો પર દવાનો છંટકાવ, પાણીના ક્લોરીનેશન તથા સાફ સફાઈની કામગીરી સાથે કચરાના યોગ્ય નિકાલની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.