સુરત શહેરની લાજપોર જેલમાં જૈન ધર્મના પવિત્ર તહેવાર પર્યુષણ મહાપર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જેલના કેદીઓને ગુનાખોરીનો માર્ગ છોડીને સાચા માર્ગે જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી.લાજપોર જેલમાં આયોજિત આ કાર્યક્રમમાં પર્યુષણ પર્વ અંતર્ગત ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન કર્યું હતું અને પારણાં ઝૂલાવવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.