મેંદરડા ખાતે કિશોરીઓમાં માસિક ધર્મ અને તેના સાથે સંકળાયેલી સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં માસિક ધર્મ અને તેના સાથે સંકળાયેલી સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. ઘણીવાર આ વિષયને સમાજમાં ખુલીને વાત કરવામાં આવતો નથી, જેના કારણે કિશોરીઓ ઘણી ગેરમાન્યતાઓ અને સમસ્યાઓનો સામનો કરતી હોય છે. આ કાર્યક્રમ દ્વારા તેમને સાચી માહિતી આપવા, શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા આ કાર્યક્રમ યોજાયો હતો