રાજકોટ: આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા રણનીતિ ઘડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ જ ભાગરૂપે આજે રાજકોટ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં સૌરાષ્ટ્ર-કચ્છના આહીર સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં આગામી ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.