આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા શ્રી ગૌરાંગ બી. પડસાળા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) એ નીંદણ નિયંત્રણ કરવાની પ્રાકૃતિક રીતો જેમ કે હાથ થી ચૂંટવું, આચ્છાદન કરવું, ગરમ પાણીથી નિયંત્રણ, વિનેગાર મિશ્રણ, પાક ફેરબદલી, કવર ક્રોપ અંગે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપી ખેડૂતોને આ અંગે માહિતગાર કર્યા હતા.