ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે નસીરી મોહલ્લા અને અલી વાલે ગ્રુપ દ્વારા સૈયદ સાબીર અલી બાપુની આગેવાનીમાં આજરોજ ઈદ એ મિલાદની ખુશીમાં ઇસ્લામિક રબીઉલ અવ્વલ માસના પ્રથમ દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં નસીરી મહોલ્લા સ્થિત સૈયદ સાબીર અલી બાપુના મકાનથી જુલુસ સ્વરૂપે નીકળી મસ્જિદે ગરીબ નવાજ ખાતે પહોંચ્યા હતા જ્યાં મસ્જિદ પર પરચમ કુસાઈ કરવામાં આવી હતી .