નવસારીમાં આ વર્ષે ગણેશોત્સવને નવા આયામ સાથે ઉજવવા માટે શ્રેષ્ઠ ગણેશ પંડાલ મહોત્સવ–૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ પ્રતિયોગિતામાં પંડાલ શણગાર, સામાજિક સંદેશ, ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા, દેશભક્તિની ઝાંખી અને સ્વદેશી પ્રેરણાને ખાસ મહત્વ આપવામાં આવશે. વિજેતા પંડાલોને ૫ લાખ સુધીના રોકડ પુરસ્કાર તથા સન્માન આપવામાં આવશે.