ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ અને સાયન્સ કૉલેજમાં વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે રામધુન સાથે અનોખું આંદોલન કર્યું. ખાસ કરીને બહેનો માટેના શૌચાલય ન હોવાની સમસ્યાને લઈને વિદ્યાર્થીઓએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા તેઓએ આચાર્યની ઑફિસ ખાતે રામધુન શરૂ કર્યું. ટ્રસ્ટી વિદ્યાર્થીઓને મળવા ન આવતા વિરોધ વધુ તેજ બન્યો. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ જણાવ્યું કે મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.