વડોદરા : ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગોના કેસો નોંધાઈ રહ્યા છે.ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં દરરોજના ઓપીડીમાં 1800 થી 2000 દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે.છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 19 કેશો નોંધાયા છે.જ્યારે દરરોજના પાંચથી વધુ ઝાડા ઉલટીના કેસો આવી રહ્યા છે.ત્યારે આ અંગે એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી હતી.