અમદાવાદના મણિનગર સ્થિત સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સન્તાનીની હત્યાના વિરોધમાં પાટણના સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. 20 ઓગસ્ટ 2025ના રોજ બનેલી આ ઘટનાએ સમગ્ર પાટણ અને ઉત્તર ગુજરાતના સિંધી સમાજને હચમચાવી નાખ્યો છે.આવેદનપત્રમાં સમાજના આગેવાનોએ હત્યારાને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી છે.સાથે જ સેવન ડે સ્કૂલની બેદરકારી બદલ શાળા બંધ કરવાની માંગ પણ કરવામાં આવી છે.