9 સપ્ટેમ્બરના રોજ સાંજે 5.40 કલાકે રૂબરૂ મુલાકાત દરમ્યાન ખેરાલુ તાલુકાના ખેડુતોની જીવાદોરી ગણાતું ચીમનાબાઈ સરોવર આટલા વરસાદ બાદ પણ ખાલી જોવા મળી રહ્યું છે. પાણીના આવરા ન હોવાથી અને ગેરકાયદેસર દબાણો હોવાથી પાણી આવતું નથી. ધરોઈથી કેનાલ મારફતે લીફ્ટ કરીને પાણી આવી શકે છે પણ કેનાલ કામ પ્રગતિમાં હોવાથી એ પણ પાણી ન મળતા ચીમનાબાઈ સરોવર ખાલી રહેવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીમનાબાઈ સરોવર માટે ખેરાલુના ખેડુતોએ લાંબી લડતો આપી ચૂંટણી બહિષ્કાર પણ કરેલા છે.