વડોદરા : શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સ્વાતંત્ર્ય સેનાનીની લગાવેલી તક્તિ કોઈ અજાણ્યા વાહને તોડી પાડતા સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આ મામલે સ્વાતંત્ર્ય સૈનાનીના પુત્રે નશામાં ધૂત થયેલા ડ્રાઈવર દ્વારા તક્તિ તોડી પાડવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી સીસીટીવી ફૂટેજ ચકાસવા ઉપરાંત પોલીસ તરફથી યોગ્ય જવાબ નહીં મળતા આ મામલે યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે તક્તિ પુનઃ લગાવવા માંગણી કરી હતી.