પાટણ જિલ્લાના સરહદી તાલુકાઓમાં થયેલા ભરેલા વરસાદના લીધે આ વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. આ વિસ્તારમાં ફરીથી જન જીવન ધબકતું થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અગ્રેસર બન્યું છે. સરહદી વિસ્તારના ગામડાઓ રાધનપુર - સાંતલપુર તાલુકાના ગામડાઓ જેમ કે નલિયા, કલ્યાણપુરા, બકુત્રા, બરારા, વોવા, રણમલપુરા, બાબરા વગેરે માં ભારે વરસાદના લીધે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.નલિયામાં આવેલ પૂરના લીધે ગામના યુવાનો અવસાન પામ્યા હતા.