રાજકોટ શહેરનાં નાગેશ્ર્વર પાસે આવેલા એપાર્ટમેન્ટનાં પાચમા માળે છલાંગ લગાવી આશાસ્પદ યુવાને આપઘાત કરી લેતા પરીવારમા શોક છવાઇ ગયો છે આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસનાં સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મૃતક યુવાન આઇટી એન્જીનીયરનો અભ્યાસ કરેલો હોય તેમને નોકરી ન મળતા તેમણે આ પગલુ ભરી લીધુ હતુ. એકનાં એક પુત્રનાં મોતથી સુથાર પરીવારમા શોક છવાઇ ગયો છે.