આદિપુરમાં ચીલઝડપનો બનાવ સામે આવ્યો છે,જેમાં બાઈક પર આવેલા બે બુકાનીધારી શખ્સો એક ગૃહિણીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવીને ફરાર થઈ ગયા છે.ગઇકાલે બપોરે આશરે 1થી1.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. કેસરનગર-૩માં રહેતા અમૃતાબેન મુકેશ પ્રજાપતિ તેમના સાસુ સાથે શાકભાજી ખરીદીને પરત ફરી રહ્યા હતા.ઘર નજીક હનુમાન મંદિર પાસે પહોંચતાં જ બાઈક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ અમૃતાબેનના ગળામાંથી આશરે 60,000ની કિંમતની સોનાની ચેઈન ખેંચી બાઈક પર પૂરઝડપે નાસી છૂટયા હતા.