25 ઓગસ્ટના રોજ સવારે 7 કલાકે ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા ફરીથી 8 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાં 86892 ક્યૂસેકની માતબર આવક થતાં 8 દરવાજા 6 ફુટ સુધી ખોલી 64144 છે. ડેમ 618.53 ફુટે પહોંચી ગયો છે. નીચાણવાળા ભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે ધરોઈ વડાલી રોડ બંધ થતાં ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. સતત 3 દિવસથી ધરોઈમાં પાણી છોડાતા સાબરમતીમાં પુરની સ્થિતી જોવા મળી રહી છે તો અમદાવાદની હાલત બગડી શકે એમ છે..