મહેસાણા : કડી તાલુકાના થોળ નજીક આવેલી પાંજરાપોળમાં 15થી 20 ગાયોના અચાનક મોત થતા ચકચાર મચી ગઈ છે. ગાયોના મોત પાછળ ખોરાકની અછત હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરવામાં આવી છે.