Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: મુખ્ય બજારમાંથી બે દિવસમાં દબાણ દૂર કરવા મનપાની કડક ચેતવણી

Gandhidham, Kutch | Sep 13, 2025
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બજારના વેપારીઓને રોડ અને આર્કેડ પરના દબાણ હટાવવા માટે આખરી તક આપવામાં આવી છે. ફેબ્રુઆરીમાં નોટિસ અપાયેલા વેપારીઓ માટે મનપાએ સુનાવણીનું આયોજન કર્યું હતું. જોકે કોઈ નક્કર ઉકેલ ન મળતાં મનપાએ આજરોજ બપોરે અંદાજિત બાર વાગે લાઉડ સ્પીકરના વાહન મારફતે સ્પષ્ટ સૂચના આપી છે કે રવિવાર સુધીમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરી દેવામાં આવે. જો તેમ નહીં થાય તો સોમવારે પોલીસ રક્ષણ સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us