સાબરકાંઠા–અરવલ્લી જોધપુર ઓડ સમાજ વિકાસ મંડળ દ્વારા શામળાજી ગાયત્રી મંદિરે સન્માન સમારોહ યોજાશે.સમાજના ધોરણ 10 અને 12 આર્ટસ,કોમર્સ,સાયન્સમાં પાસ થયેલા દિકરા-દિકરીઓ તથા અગાઉ રહી ચૂકેલા પ્રમુખોનું સન્માન કરવામાં આવશે.કાર્યક્રમ સાથે સમાજ દ્વારા શામળાજી મંદિરે ધજા ચડાવાનું પણ આયોજન રાખવામાં આવ્યું છે.